Viramgam munsar lake (talav)
Viramgam munsar lake (talav) વિરમગામ શહેરની પશ્ચિમે સોલંકી યુગનું સિધ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ બંધાવેલ ઐતિહાસિક મુનસર તળાવ આવેલું છે. આ તળાવને જોવાલાયક સ્થળ તરીકે સ્થાન પામેલ છે. આ તળાવની જાળવણી નિભાવણી સાર સંભાળ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ તળાવને સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે. પુરાતત્વ ખાતાના અધિકારીઓ આ તળાવની સાફ સફાઇ જાળવણી અંગે કોઇ નક્કર કાર્યવાહી પ્રજાહિતમાં કરવામાં આવતી નથી. મુનસર તળાવની ચારે બાજુ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે ત્યારે આ તળાવની દુર્દશા જોવા જેવી બની ચૂકી છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી અંદર લીલ જામી ગઇ છે તેના કારણે જે બાજુ પવન દિશા હોય તે બાજુ અસહ્ય દુર્ગંધ આવે છે. આ તળાવની ચારેબાજુ રહેણાકના મકાનો આવેલ છે. બીજું આ તળાવની મધ્યમાં મુનસરી માતાજી તેમજ ઐતિહાસિક વડવાળા મેલડી માતાજી મંદિર આવેલ છે. દર રવિવારે મેલડી માતાજીના મંદિરે હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે આ લીલની દુર્ગંધના કારણે દર્શનાર્થીઓને નાકે રૃમાલ દઇને ત્યાંથી દર્શનાર્થે જાય છે જેથી સ્થાનિક નગરજનો ભાવિકભક્તો ટુરીસ્ટો દ્વાર...